ઈ-શ્રમ કાર્ડ યોજના E-SRAM Card Yojna 2024

આ પોસ્ટમાં આપણે જાણીશું ઇ-શ્રમ કાર્ડ યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું.

ઇ-શ્રમ કાર્ડ યોજના વિષે સંપૂર્ણ માહિતી | E-SRAM Card Yojana Gujarat 2024

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે:

આ યોજનાનો લાભ એવા તમામ લોકો લઈ શકે જેની ઉંમર 16 વર્ષ થી 59 વર્ષ વચ્ચેની છે, અને જે ઇન્કમ ટેક્સ ના ભરતા હોય અને જે CPS/NPS/EPFO/ESIC ના સદસ્ય ના હોય.

વાસ્તવમાં આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે.

વિવિધ પ્રકારના શ્રમયોગીઓ કે, જેમના ઈ-શ્રમ કાર્ડ બની શકે છે તે નીચે મુજબ છે. 

ઘરના નોકર /નોકરાણી (કામવાળી બહેનો), રસોઈ કરવાવાળી બહેનો (રસોઈયા), કુલી, રિક્ષાચાલક, લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવાવાળા, ખાવાની વસ્તુને લારીમાં વેચનાર, હાટડીવાળા, ચા વાળા, હોટલના નોકર/ વેઇટર, રિસેપ્શનિસ્ટ પૂછપરછ વાળા ક્લર્ક, ઓપરેટર, પ્રત્યેક દુકાનમાં કામ કરનાર/સેલ્સમેન/હેલ્પર, રિક્ષાચાલક, ડ્રાઇવર, પંચર રીપેર કરવા વાળા.

બ્યુટીપાર્લરમાં કામ કરનાર, મોચી, દરજી, લુહાર, વાળંદ, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કલર કામ કરનાર(પેઈન્ટર), વણકર, ગૃહ ઉધ્યોગ ચલાવનારા, કુટિર ઉધ્યોગમાં રોકાયેલા, ટાઇલ્સ વાળા, વેલ્ડીંગ વાળા, ખેત મજૂરો, મનરેગા વર્કર, MDM વર્કર, ઇંટ ભઠ્ઠાના શ્રમયોગીઓ, પથ્થર તોડવા વાળા, મૂર્તિ બનાવવા વાળા, માછીમાર, પશુ ચરાવનાર, ડેરીવાળા, તમામ પશુપાલકો, પેપર આપવાવાળા, ઝોમેટો, સ્વિગીના ડીલીવરી બોય (કુરિયર વાળા), એમેઝોન, ફ્લિપકાર્ટ ના ડીલીવરી બોય, નર્સ, વોર્ડબોય, આયા, મંદિરના પૂજારી, વિવિધ સરકારી કચેરીઓના દૈનિક વેતન શ્રમયોગી,‌ આંગણવાડી કાર્યકર્તા સહાયિકા, આશાવર્કર જેવા તમામ વ્યવસાયના વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થઇ શકે છે.

ઇ-શ્રમ કાર્ડ યોજનાનો ઉદ્દેશ્ય

રૂપિયા બે લાખનો મફત વિમો.

પોતાના ઘરની કામવાળી બહેનો નોકર, તમારી દુકાન અને આસપાસની દુકાનમાં કામ કરવાવાળા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ્સ, સેલ્સ બોય, રિક્ષાચાલક વગેરેને આ દિવાળી પર રૂપિયા ૨ લાખનો મફત વિમો ભેટમાં આપો

શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓ નો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે. 

ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકશે.

ઇ-શ્રમ કાર્ડ યોજનાના મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ

આધાર નંબર

મોબાઇલ નંબર

બેન્ક ની માહિતી

વારસદાર ની માહિતી

રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું

તમારી આસપાસના કોઈ પણ E-Gram CENTER પર રજિસ્ટ્રેશન કરાવી શકાય છે, અથવા તમે જાતે પણ E-SRAM કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી શકો છો.

FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો

Q. ઇ-શ્રમ કાર્ડ યોજના સહાય માં કેટલી સહાય મળે છે?

A. રૂપિયા બે લાખનો મફત વિમો મળે છે.

Q. ઇ-શ્રમ કાર્ડ ના ફોર્મ ક્યાં ભરતા હોય છે?

A. ઇ-શ્રમ કાર્ડના ફોર્મ CSC કેન્દ્ર અને ગ્રામ પંચાયત માં ફોર્મ ભરી શકાય છે. 

Q. વિધવા સહાય યોજના માટે ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે?

A. ફકત આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક ની માહિતી, વારસદાર ની માહિતી.

Q. ઇ-શ્રમ કાર્ડ યોજના માટે શું ઉંમર મર્યાદા છે?

A. ઇ-શ્રમ કાર્ડ યોજના નો લાભ લેવા 16 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Leave a Comment