PMJAY Yojana Help Line: PMJAY યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે 079-6644-0104 હેપ્લ લાઈન નંબર કાર્યરત કરાયો

PMJAY Yojana Help Line

PMJAY Yojana Help Line: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY), આયુષ્માન કાર્ડ યોજનાને લગતી કોઈપણ માહિતી અથવા સમસ્યા માટે હેલ્પલાઈન નંબર 079-6644-0104 કાર્યરત કરવામાં આવ્યો છે.

PMJAY Yojana Help Line: PMJAY મા યોજના અંતર્ગત આમ જનતાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે 24*7 હેલ્પલાઇન નંબર 079-6644-0104 કાર્યરત કરવામાં આવ્યો છે. દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે

PMJAY Yojana Help Line હેપ્લ લાઈન નંબર કાર્યરત કરાયો

  • PMJAY Yojana હેપ્લ લાઈન નંબર કાર્યરત કરાયો
  • હેલ્પલાઈન નંબર 079-6644-0104 કાર્યરત કરવામાં આવ્યો છે
  • 24* 7 ટોલ ફ્રી નંબર

PMJAY-મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે 24*7 હેલ્પલાઇન કાર્યરત કરાઇ. દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે, દર્દીને ફરિયાદના સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે.

આ હેલ્પપલાઇનથી મળેલ ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસરઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને SMS તથા ઇમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે.

PMJAY Yojana હેપ્લ લાઈન નંબર પર કઈ સુવિધા મળશે?

PMJAY યોજનાકીય માહિતી
1. કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી
2. કાર્ડ બેલેન્સ
3. હોસ્પિટલની માહિતી
4. વિવિધ બીમારી અંતર્ગત ઉપલબ્ધ સારવાર તેમ જ પેકેજ ની માહિતી
5. હોસ્પિટલમાં આરોગ્ય-મિત્ર તેમ જ જિલ્લા કક્ષાએ સંકલનની સુવિધા
6. ફરિયાદ નોધણી, ટ્રેકિંગ અને મોનીટરીંગ
7. ફરિયાદ યોગ્ય અધિકારી સુધી ઇ-મેલ અને એસ.એમ.એસ દ્વારા પહોચાડવા માટેની ટેક્નોલોજી સભર આધુનિક સુવિધા
8. યોજના અંતર્ગત આપવામાં આવતી આરોગ્યસેવામાં ખામીઓ અંગેની ફરિયાદ અને પ્રતિસાદ
9. ફરિયાદોની વિગતોની ગુપ્તતા અધિકારી માટે જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ
10. ફોલોઅપ અને રિપોટિંગ મિકેનીઝમ

જરૂરી સ્ટેકહોલ્ડર/અધિકારી સાથે સંકલન કરી તેમને લિંકમાં જ ફરિયાદ નિરાકરણના જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ થકી ફરિયાદનું વેરિફિકેશન અને નિરાકરણ નિયત સમયમર્યાદામાં કરવામાં આવે છે.

ત્યારબાદ હેલ્પલાઇનની ટીમ દ્વારા નિરાકરણની ખરાઈ ફરિયાદીને કોલ કરીને કરવામાં આવે છે અને પુર્તતા થયા બાદ જ ફરિયાદ બંધ કરવામાં આવે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment