Padma Awards 2025: દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક પદ્મ પુરસ્કારો, ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે, જેમ કે, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ પુરસ્કારો વિવિધ શાખાઓ/પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં આપવામાં આવે છે.
Padma Awards 2025: જેમ કે- કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા, વગેરે. ‘પદ્મ વિભૂષણ’ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે; ‘પદ્મ ભૂષણ’ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને ‘પદ્મશ્રી’ કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે. આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર કરવામાં આવે છે.
આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં દર વર્ષે માર્ચ/એપ્રિલની આસપાસ યોજાતા ઔપચારિક સમારોહમાં એનાયત કરવામાં આવે છે. વર્ષ 2025 માટે, રાષ્ટ્રપતિએ 139 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે જેમાં નીચે આપેલી યાદી મુજબ 1 ડ્યુઓ કેસ (ડ્યુઓ કેસમાં, એવોર્ડ એક તરીકે ગણવામાં આવે છે)નો સમાવેશ થાય છે.
આ યાદીમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી એવોર્ડનો સમાવેશ થાય છે. પુરસ્કાર વિજેતાઓમાં 23 મહિલાઓ છે અને યાદીમાં વિદેશીઓ / NRI / PIO / OCI શ્રેણીના 10 વ્યક્તિઓ અને 13 મરણોત્તર પુરસ્કાર વિજેતાઓનો પણ સમાવેશ થાય છે.
7 હસ્પતીઓને પદ્મ વિભૂષણથી સન્માનિત
- દુવ્વુર નાગેશ્વર રેડ્ડી (મેડિસિન)
- ન્યાયાધીશ (નિવૃત્ત) જગદીશ સિંહ ખેહર (જાહેર બાબતો)
- કુમુદિની રજનીકાંત લાખિયા (કલા)
- લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ (કલા)
- એમ ટી વાસુદેવન નાયર (સાહિત્ય અને શિક્ષણ) મરણોત્તર
- ઓસામુ સુઝુકી (વ્યવસાય અને ઉદ્યોગ) મરણોત્તર
- શારદા સિંહા (કલા) મરણોત્તર
19 હસ્તીઓ પદ્મ ભૂષણથી સન્માનિત
- એ સૂર્ય પ્રકાશ (સાહિત્ય અને શિક્ષણ -પત્રકારત્વ)
- અનંત નાગ (કલા)
- વિવેક દેબરોય (મરણોત્તર) સાહિત્ય અને શિક્ષણ
- જતીન ગોસ્વામી (કલા)
- જોસ ચાકો પેરિયાપ્પુરમ (ચિકિત્સા)
- કૈલાશ નાથ દીક્ષિત (અન્ય – પુરાતત્વ)
- મનોહર જોશી (મરણોત્તર) જાહેર બાબતો
- નલ્લી કુપ્પુસ્વામી ચેટ્ટી (વેપાર અને ઉદ્યોગ
- નંદમુરી બાલકૃષ્ણ (કલા)
- પીઆર શ્રીજેશ (રમતગમત)
- પંકજ પટેલ (વેપાર અને ઉદ્યોગ)
- પંકજ ઉધાસ (મરણોત્તર) કલા
- રામ બહાદુર રાય (સાહિત્ય અને શિક્ષણ પત્રકારત્વ)
- સાધ્વી ઋતંભરા (સામાજિક કાર્ય)
- એસ અજિત કુમાર (કલા)
- શેખર કપૂર (કલા)
- સુશીલ કુમાર મોદી (મરણોત્તર) જાહેર બાબતો
- વિનોદ ધામ (વિજ્ઞાન અને ઇજનેરી)
Padma Awards 2025: ગુજરાતની હસ્તીઓને પદ્મ એવોર્ડ 2025 મેળેલની યાદી
પદ્મ વિભૂષણ
કુમુદિની રજનીકાંત લાખિયા (કલા, ગુજરાત)
પદ્મ ભૂષણ
પંકજ પટેલ (વેપાર અને ઉદ્યોગ, ગુજરાત)
પદ્મ શ્રી
- ચંદ્રકાંત શેઠ (મરણોત્તર) (સાહિત્ય અને શિક્ષણ)
- ચંદ્રકાંત સોમપુરા (સ્થાપત્ય)
- પરમાર લવજીભાઈ નાગજીભાઈ (કલા)
- રતન કુમાર પરીમુ (કલા)
- સુરેશ હરિલાલ સોની (સમાજ સેવા)
- તુષાર દુર્ગેશભાઈ શુક્લા (સાહિત્ય અને શિક્ષણ)