PM Research Fellowship: પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના, વિદ્યાર્થીને દર વર્ષે મળશે 80 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ

PM Research Fellowship: પીએમ રીસર્ચ ફેલોશીપ યોજના

PM Research Fellowship: પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના ભારતમાં ડોક્ટરલ સંશોધન માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી રીસર્ચ ફેલોશિપ આપવાની યોજના છે.

PM Research Fellowship: બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ હેઠળ 10 હજાર યુવાનોને ફેલોશિપ આપવાની ઘોષણા કરી છે. PMRF યોજના તમામ IIT અને IISER, IISc એટલે કે ટોચની કેન્દ્રીય યુનિવર્સિટીઓ / NIT માં ઓફર કરવામાં આવી રહી છે જે વિજ્ઞાન અને / અથવા ટેકનોલોજી ડિગ્રીઓ પ્રદાન કરે છે.

PM Research Fellowship: પીએમ રીસર્ચ ફેલોશીપ યોજના

તાજેતરમાં, આ યોજના દેશની તમામ માન્ય સંસ્થાઓ / યુનિવર્સિટીઓના પાત્ર વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને સેન્ટ્રલી ફંડેડ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ્સ (CFTIs) સાથે સંલગ્ન સંસ્થાઓમાં M.Tech કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને ₹12,400ની માસિક ફેલોશિપ આપવામાં આવે છે..

પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને ઘણા લાભ મળે છે. તેમને ડાયરેક્ટ IITs, IISC અને IISERsના પીએચડી અભ્યાસોમાં એડમિશન મળે છે. પ્રથમ અને બીજા વર્ષમાં ઉમેદવારોને દર મહિને 70 હજાર રકમ મળે છે. ત્રીજા વર્ષમાં આ રકમ વધીને 75 હજાર રૂપિયા થાય છે. ચોથા અને પાંચમાં વર્ષમાં આ રકમ વધીને 80 રૂપિયા સુધી થઇ જાય છે.

પીએમ રિસર્ચ ફેલોશિપ માટે કોણ પાત્ર છે?

આ ઉમેદવારોએ સંબંધિત GATE વિષયમાં ઓછામાં ઓછા 650 સ્કોર ઉપરાંત ઓછામાં ઓછા 8 CGPA અથવા તેની સમકક્ષ ગુણ મેળવ્યો હોવો જોઈએ, અથવા UGC/CSIR JRF રેન્ક 100 કે તેથી ઓછો હોવો જોઈએ, અથવા NBHM ફેલોશિપ ધરાવતા ઉમેદવારો હોવા જોઈએ.

પીએમ રિસર્ચ ફેલોશિપ કેટલી મળે છે?

પ્રથમ વર્ષ – દર મહિને 70,000 રૂપિયા
બીજા વર્ષ – દર મહિને 70,000 રૂપિયા
ત્રીજું વર્ષ – દર મહિને 75,000 રૂપિયા
ચોથું વર્ષ – દર મહિને 80,000 રૂપિયા
પાંચમું વર્ષ – દર મહિને 80,000 રૂપિયા

દરેક વિદ્યાર્થીને પ્રતિ વર્ષ ₹2 લાખ (પાંચ વર્ષ માટે ₹10 લાખ સુધી)ની રિસર્ચ ગ્રાન્ટ પણ મળે છે.

આગામી પાંચ વર્ષમાં IIT અને IISc માં ટેકનિકલ સંશોધન માટે PM રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ 10,000 ફેલોશિપ આપવામાં આવશે. પીએમ રીસર્ચ ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ, સરકાર ઉચ્ચ શિક્ષણમાં ટેક્નોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કરવા માગતા પાત્ર ઉમેદવારોને લાભ આપવાનું લક્ષ્ય રાખે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment